આમિર ખાનનો સત્યમેવ જયતેનો એપિસોડ જે વિકલાંગતાની સમસ્યાને ઉજાગર કરી ..એ જોતા ભલે એની અગંતતાને ધ્યાનમાં લઈને તેના પર માછ્લા ધોવાતા હોય પણ તેની આ કાર્યશક્તિ અને શૈલી માટે એટ્લુ જ અગંત માન થઈ જાય એવુ છે…..
મે પણ માનસિક વિકલાંગ વ્યક્તિઓ( જેમા બાળકોનો સમાવેશ પણ થાય છે) કામ કર્યુ છે..તેમની માનસિકતા તેમના ઉછેર પર જ આધારિત હોય છે કારણ કે જન્મજાત બુદ્ધિ લગભગ શુન્ય જ હોય છે…તેમને જેમ કેળવણી આપીએ તેમ તેમની સુઝ સમજ મુજબ કામ કરી શકે છે અને એક ને જે રીતે શિખવાડ્યુ હોય તો જરુરી નથી કે બીજુ બાળક પણ એજ રીતથી શિખશે..વિચાર કરો કે કેવડુ કામ..?
કેવી સમજથી ..ધીરજથી કામ લેવુ પડે અને આ કામ શીખવાડ્યા પછી પણ સમાજમાં સ્વીક્રુતિ નહિ જેવી મળે ત્યારે કોઇ નાસિપાસ ન થાય તો જ નવાઈ…
પરદેશમાં ફરવાનુ ઘણુ થયુ..ભલે હુ અંગત રીતે “ મેરા ભારત મહાન” માનુ છુ પણ ત્યાની ચોખ્ખાઈ,ટ્રાફિક સેન્સ, અને આવા ખાસ વ્યકિતોને માટેની વ્યવસ્થા ..પછી એ શોપિંગ મોલ હોય…રેલ્વે સ્ટેશન હોય..જાહેર જ્ગ્યા હોય કે પછી શૌચાલયો હોય….. વાત માટે બહારના દેશો જરુર ગમે છે.
એક પ્રાઇવેટ રેડિયો ચેનલ રેડિયો મીર્ચી પર સાંભળેલ જાહેરાત…..ન સાંભળી હોય તો જરુર સાંભળવી…..કે આટઆટ્લા લોકો આપણા દેશમાં વસે છે..કેટ્લા લોકો ને તમે જાહેર સ્થળોએ જોઇ શકો છો..? લગભગ નહિ..કારણ એમના પરિવારજનોની સ્થિતી….આઠ્મી અજાયબી હોય તેમ સતત તાકતી નજરો..લોકોનુ દયાભાવ કે ક્યારેક ધ્રુણાસ્પદ વર્તન …સુગભરી નજર.. આ બધુ એ નોર્મલ માણસને સહન કરવુ અઘરુ બને છે….
આવી અઘરી સમસ્યાઓ સામે ઝઝુમતા પરિવાર જનો માટે એમને ઉછેરવાની જ મોટી જવાબદારી હોય છે કે બાકીની લડ્તનો સમય કયાંથી કાઢે..?
આ અસામાન્ય( હુ આ લોકોને અસામાન્ય કહુ છુ) લોકોમા ખુદદારીનુ પ્રમાણ..પ્રામણિકતાનુ પ્રમાણ..લગન ને મહેનતનુ પ્રમાણ..તેમનુ હાસ્ય ..સામાન્ય માણસો કરતા હજારો ગણુ હોય છે.જરુર છે તેમના પાસેથી આ શીખવાની…..તમે થોડોક જ ટેકો આપશો તો આજ લોકો આખો રસ્તો સર કરીને બતાવશે.
You must be logged in to post a comment.